Wednesday, March 23, 2016

Third Word From Cross - ત્રીજી વાણી “ બાઈ જો તારો દીકરો..” યોહાન ૧૯:૨૬

ત્રીજી વાણી

બાઈ જો તારો દીકરો..યોહાન ૧૯:૨૬
·         પ્રભુ ઇસુ દ્વારા બોલવામાં આવેલી ત્રીજી વાણી સીધી જ ઈસુની માં મરિયમને સંબોધવામાં આવેલી છે. જેના માધ્યમથી ઇસુ આપણને શિક્ષણ આપવા માંગે છે.
·         ઈસુએ પ્રથમ પોતાના સતાવનારને માફીની વાત કરે છે.
·         પછી ઇસુ પોતાની બાજુમા વધ:સ્તંભે જડાયેલા ચોરને ઉદ્ધારની વાત કરે છે.
·         ત્યારબાદ સૈનિકો ઈસુના કપડા માટે ચિઠ્ઠીઓ નાખે છે. અને વહેંચી લે છે.

·         આ ઘટનાના દ્રશ્યમાં ઈસુની અન્ય લોકોના જીવન પ્રત્યેની કરુણા, કાળજીના દર્શન થાય છે. સાથે તે પણ સાબિત થાય છે કે આપનો પ્રભુ આપણા જીવનોમાં અંગત રસ લે છે.
·         “એ માટે પવિત્ર તથા વ્હાલાઓ, દેવના પસંદ કરેલાને ઘટે તેમ દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો.” કલોસી ૩:૧૨
·         આ સમજવા માટે ઉતમ ઉદાહરણ બલા સમરૂનીનું દ્રષ્ટાંત છે. જે બીજાની કાળજી અને દયાને શીખવે છે. પોતાની પીડામાં પણ ઇસુ પોતાની માંની કાળજી લેવાનું ચુકતા નથી.

·         ઇસુને આ કાળજીનો વિચાર પોતાની અત્યંત પીડા અને દુઃખની પરિસ્થિતિમાં આવે છે. આ પીડા તો શારીરિક, માનસિક અને આત્મિક રીતે ઈસુને દુઃખ આપનાર હતી.
·         ઈસુના પોતાના માં ની સાથેના સંવાદમાં પૂરા આદર અને માન સાથે વાત કરે છે, અને તેમાં કરુણા, કાળજી અને પ્રેમના દર્શન થાય છે.

·         મરિયમ હૃદયભંગીત, દુઃખી અને સાથે કદાચ પોતાના ભવિષ્ય માટે અચોક્કસ હતી. આપને પણ મરિયમની જેમ ઈસુની કાળજીની અદભુત જરૂર છે.     
·         પ્રભુ ઇસુમાં આપણું ભવિષ્ય અનંતકાળના માટે સુરક્ષિત છે.

·         ઇસુ માની કાળજી લઇને કહે છે,
·         એક બીજાની કાળજી લો,
·         સમાજ અને કુટુંબની કાળજી લો , અને શાંતિમય જીવન જીવો.
·         ઈસુએ જેમ આપણને સ્વીકાર્ય તેમ એકબીજાને સ્વીકારો.
·         ઈશ્વરની અને એક બીજાની સેવા કરો.
·         એક બીજાને માફ કરો.
·         એક બીજાને ઉત્તેજેન આપો,
·         એક બીજાને પ્રેમ કરો.

·         જે લોકો આપણી આસપાસ, આપણા કુટુંબમાં, આપણા સમાજમાં છે, જેમને આપણે દુઃખમાં અને પીડામાં જોઈએ છીએ પણ તેમની પીડા આપણે સમજી શક્તા નથી તો પછી કેવી રીતે આપણે પ્રભુ ઈસુના વધ:સ્તંભની પીડાની સમજી શકીએ.
·         અને એ સમજણ આપણને આપને પીડાને દુઃખની અનુભવ કરતા હોય ત્યારે આવે તે ખુબ જ જરૂરી છે.   
·         જો આજે તમને તમારી કોઈ નબળાઈ પરેશાન કરી રહી છે?
·         શું આપણા ભૂતકાળના કોઈ પ્રસંગો આપણને પરેશાન કરી રહ્યા છે ?
·         શું આપણને આ દુનિયામાં એકલતા અનુભવાય છે?
·         તો આજે પ્રભુની પાસે આવો પ્રભુ તમારી કાળજી લેવા માંગે છે.       
·         “યહોવા કૃપાળુ તથા ન્યાયી છે; આપનો દેવ ખરેખરો માયાળુ છે.” ગીતશાસ્ત્ર ૧૧૬:૫
·         મોટા ભાગે આપણે આપણા પોતાના દુઃખને લઈને બેસી રહીએ છીએ અને બીજાની તરફ પોતાનું ધ્યાન આપતા નથી.
·         સાથે ઘણા દીકરા-દીકરીઓ પોતાના માં-બાપની કાળજી લેતા નથી અને પોતાનીજ દુનિયામાં જ મસ્ત રહે છે.
·         પણ પ્રભુ આજના જુવાનોને શીખવવા માંગે છે કે માં-બાપની કાળજી આપની જવાબદારી છે.  

  

No comments:

Post a Comment