સાતમી વાણી:
“ઓ બાપ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છુ.”
લુક ૨૩:૪૬
·
બધું જ પૂર્ણ થયા પછી ઇસુ આ વાક્ય બોલે છે. આ
ઈસુના પ્રુથી પરના જીવનનું છેલ્લું વાક્ય છે.
·
“હું તારા હાથમાં મારો આત્મા સોંપું છું.”
ગીતશાસ્ત્ર ૩૧:૫
·
આ પ્રાર્થના દર્શાવે છે ઈશ્વર જ આપણો સંભાળનાર,
બચાવનાર અને છોડાવનાર છે. એનો અર્થ છે કે ઈશ્વર પણ દુઃખ અને પીડામાં પણ કાબુ
ધરાવતા હતા.
·
પિતા, શબ્દ બોલીને ઇસુ ફરી એક વાર પોતાના ઈશ્વર
પિતાને સંબોધીને વાત કરે છે. આ તો એ ઈશ્વર પિતાની વાત છે કે જેમની સાથે તે જગતના
મંડાણ અગાઉથી હતા.
·
તારા હાથમાં, શબ્દો ઈશ્વરના હાથને પ્રદર્શિત કરે
છે. જે હાથ સર્જનકર્તા છે, આશીર્વાદ આપનાર છે, વિશ્વાસુ
છે, સાજાપણું આપનાર છે.
·
આ ઈશ્વરના હાથ સાગરને પણ માપી શકે છે, પવનને પણ
બંધ કરી શકે છે, અને આકાશની ક્ષિતિજ પણ બનાવી શકે છે.
“”આકાશમાં કોણ ચઢ્યો અને પાછો ઉતર્યો ?
કોણે
પવનને પોતાની મુઠ્ઠીમાં સમેટી લીધો છે ?
કોણે
પોતાના વસ્ત્રમાં પાણી બાંધી લીધા છે ?
પૃથ્વીની
સર્વ સીમાઓ કોને સ્થાપી છે ?
જો તું જાણતો હોય તો કહે, તેનું નામ શું
છે,
અને
તેના દિકરનું નામ શું છે ? ” નીતીવચન ૩૦:૪
·
મારો આત્મા સોંપું છું. Paratithemi –
ગ્રીક શબ્દ વાપરવામાં આવ્યો છે. તેનો અર્થ છે કે કોઈના હાથમાં સુરક્ષિત મુકવું,
મુકનાર પર પૂરો વિશ્વાસ રાખીને મુકવું.
·
આ સર્વ બાબતોથી આપણે ઈશ્વર પિતામાં આપનો વિશ્વાસ
મજબુત કરીએ છીએ. કારણ કે આપના ઈશ્વર્પીતાના હાથ સુરક્ષિત અને સલામત છે.
·
પડદો ચીરાઈ ગયો તે પણ દર્શાવે છે કે હવે ઈશ્વર
હવે બધા માટે ઉપલબ્ધ છે. પડદો પણ ઉપરથી નીચે સુધી છેક ચીરાઈ ગયો. મતલબ કે ઈશ્વર
પુરેપુરી રીતે માણસોની સાથેના વ્યવહારમાં છે.
·
ઈશ્વરની સાથે અમર્યાદિત પાને આપને વાત કરી શકીએ
છીએ. પડદો ચીરીને ઈશ્વરે આપણને તેની સાથેના સંબંધમાં આમંત્રણ આપે છે.
·
શુ આપણે આપણી સલામતી ઈશ્વરના સલામત હાથોમાં મુકવા
તૈયાર છીએ.





